Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Gir Somnath

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે નિરાધાર આશ્રમ ખાતે ત્રિવેણી સેવા સંગમ: પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ યોજાયા

18 Sep 2026, 05:40 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે નિરાધાર આશ્રમ ખાતે ત્રિવેણી સેવા સંગમ: પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ યોજાયા - GIR SOMNATH, गुजरात

વેરાવળ ખાતે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે નિરાધાર આશ્રમ ખાતે ત્રિવેણી સેવા સંગમ: પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ યોજાયા
આજરોજ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૬મા જન્મ દિવસ નિમિત્તે વેરાવળ બાયપાસ સ્થિત નિરાધાર આશ્રમ ખાતે ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ.

મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ એમ. કુહાડાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર તથા સ્વ. સોની હીરાબેન સતિકુંવર સેવા ટ્રસ્ટના પ્રમુખ મીનાબેન આર.

જાદવના કુશળ માર્ગદર્શન હેઠળ આશ્રમના તમામ પ્રભુજીઓને ભાવપૂર્વક પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ડૉ. ડી.

કે. બારડ (સામાજિક વન વિભાગ પ્રભાસ પાટણ રેન્જ / ડી.

કે. બારડ હોસ્પિટલ)ના સહયોગથી ૮૦ જેટલા પ્રભુજીઓ માટે વિશેષ આરોગ્ય જાગૃતિ અને નિઃશુલ્ક ચકાસણી કેમ્પ યોજાયો હતો.

સાથોસાથ પર્યાવરણ જાગૃતિ અર્થે આશ્રમ પરિસર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી વૃક્ષ વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ નેતા પ્રવીણભાઈ આમેડા, રેલવે પેસેન્જર એસોસિએશનના મુકેશ ચોલીરા, સામાજિક કાર્યકર અનીશ રાછ, ચાડુવાવ નર્સરીના દિલાવરસિંહ ડોડિયા, સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ હિંમતલાલ જોષી, વિજયભાઈ વાળા, ચંદ્રીકાબેન ગોહિલ અને રેખાબેન શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તમામ આમંત્રિત મહાનુભાવોનું શાલ ઓઢાડી, પુષ્પહાર તેમજ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડાની ભારે જહેમતથી સમગ્ર સેવાકીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

പൂജപ്പുര സരസ്വതി മണ്ഡപംനവരാത്രി പുരസ്‌കാരം ശ്രീ കുമാരൻ തമ്പിക്ക്
Thiruvananthapuram19 Sep

പൂജപ്പുര സരസ്വതി മണ്ഡപംനവരാത്രി പുരസ്‌കാരം ശ്രീ കുമാരൻ തമ്പിക്ക്

ഏറെ പ്രശസ്ത മായ ക്ഷേത്രങ്ങളിൽ ഒന്നായ പൂജപ്പുര മണ്ഡപം സരസ്വതി ദേവി ക്ഷേത്രത്തിലെ നവരാത്രി മഹോത്സവം ഒക്ടോബർ 11ന് തുടങ്ങി 21ന് അവസാനിക്കും.ഈ വർഷത്തെ…

पूरी खबर पढ़ें →
‘ अमृत -2 ‘अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* – मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा आढावा
Nagpur19 Sep

‘ अमृत -2 ‘अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* – मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा आढावा

' अमृत -2 'अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* - मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा…

पूरी खबर पढ़ें →
‘ अमृत -2 ‘अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* – मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा आढावा
Nagpur19 Sep

‘ अमृत -2 ‘अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* – मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा आढावा

' अमृत -2 'अंतर्गत सर्व कामे मार्चअखेर पूर्ण करा* - मुख्यमंत्री देवेंद्र फडणवीस पोहरा नदी पुनरुज्जीवनासह विविध कामांचा…

पूरी खबर पढ़ें →
कच्छ कलेक्टर अनिल राणावसिया की अध्यक्षता में समन्वय सह शिकायत समिति की बैठक जनहित को प्राथमिकता देकर विकास कार्यों में तेजी लाने और जनसमस्याओं का तत्काल समाधान करने के निर्देश
आज की युवा पीढ़ी में अपनी धार्मिक परंपराओं, प्रतीकों और सनातन के प्रति आदरभाव होना और उनको उसका बेझिझक प्रदर्शन करते देखना कितना आनंददायक है उसका वर्णन शब्दों में असंभव है। सबसे ते
error: Content is protected !!