Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
A2Z सभी खबर सभी जिले की

કાળના પંજામાંથી જીવનને ઉગારતી અખંડ નામસ્મરણની અલૌકિક શક્તિ

08 Sep 2026, 11:57 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
કાળના પંજામાંથી જીવનને ઉગારતી અખંડ નામસ્મરણની અલૌકિક શક્તિ - VALSAD, गुजरात

નેપાળની સુરંગમાં નવ દિવસ સુધી મોત સામે ઝઝૂમતા સંજય સાહનું કૃષ્ણ જન્માષ્ટમીએ થયેલું પુનર્જીવન માત્ર સંયોગ નથી.

માનવીય અહંકાર અને આધુનિક વિજ્ઞાન જ્યાં લાચાર બને છે, ત્યાં ઈશ્વરીય આરાધના અને અવિચલ શ્રદ્ધા જ સાચો સહારો બને છે. જ્યારે મોત ચારે તરફથી ઘેરી વળે અને બચવાની તમામ ભૌતિક આશાઓ અંતિમ શ્વાસ લેતી દેખાય છે, ત્યારે એક અદૃશ્ય દૈવીશક્તિ માનવજીવનનું રક્ષણ કરે છે. નેપાળમાં ૨૬ ઓગસ્ટે આવેલા વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની દુર્ઘટનામાં સાથી કર્મચારીઓનો જીવ બચાવવા જતાં મેકેનિકલ ફોરમેન સંજય સાહ અંધારી સુરંગમાં કેદ થઈ ગયા હતા. નવ દિવસ સુધી અન્ન, જળ કે સૂર્યપ્રકાશ વગર મૃત્યુની ઘેરી છાયા વચ્ચે જીવતા રહેવું, એ સામાન્ય સંજોગોમાં અસંભવ ગણાય. આ અસહ્ય કટોકટીમાં તેમની પાસે શ્વાસ ટકાવવા માટે માત્ર એક જ અડગ સહારો હતો અને તે હતો અવિરત 'હરે કૃષ્ણ મહામંત્ર' નો જાપ. આશ્ચર્યજનક અને ભાવુક કરી મૂકે તેવી ઘટના એ બની કે જે દિવસે તેમને ચમત્કારિક રીતે સહીસલામત બહાર કાઢવામાં આવ્યા, તે પવિત્ર દિવસ સ્વયં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો હતો.
સનાતન ધર્મનો ઇતિહાસ આવા અનેક પ્રેરણાદાયી પ્રસંગોથી અંકિત થયેલો છે, જ્યાં ભક્તની અનન્ય પોકાર સાંભળીને ભગવાને પ્રકૃતિ અને કાળના નિયમોને પણ બદલી નાખ્યા છે. ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશિપુએ ઝેર આપ્યું, મદમસ્ત હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, પર્વત પરથી નીચે ફેંક્યો અને અગ્નિમાં બેસાડ્યો, છતાં પ્રહલાદના મુખે અખંડ નારાયણ નામ ગૂંજતું રહ્યું અને પ્રભુએ સ્તંભમાંથી પ્રગટ થઈને તેનું રક્ષણ કર્યું. મેવાડના રાણાએ મીરાંબાઈને મારવા માટે મોકલેલો ઝેરનો કટોરો શ્રીકૃષ્ણના સ્મરણ માત્રથી અમૃતમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે ધર્માંધ લોકોએ જગદ્ગુરુ સંત તુકારામ મહારાજના અભંગો અને ગાથાઓને ઇન્દ્રાયણી નદીમાં ડુબાડી દીધી, ત્યારે તેર દિવસ સુધી અન્ન-જળ ત્યાગીને બેઠેલા સંત માટે પાંડુરંગે ભીંજાયા વગરની તમામ પોથીઓ જળ પર સકુશળ તરતી કરી આપી હતી. ભરસભામાં દ્રૌપદીએ જ્યારે પોતાના પ્રયાસો છોડીને બંને હાથ જોડી 'હે ગોવિંદ' કહીને આર્તસ્વરે સાદ કર્યો, ત્યારે ક્ષણવારમાં અક્ષય વસ્ત્રો પૂરીને પ્રભુએ તેનું માન જાળવ્યું હતું. સંજય સાહનો આ અર્વાચીન કિસ્સો એ જ પ્રાચીન ભક્તિ અને અડગ નામસ્મરણની જીવંત શક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
આજનો આધુનિક માનવ વિજ્ઞાન, અદ્યતન ટેકનોલોજી અને ભૌતિક વ્યવસ્થાઓના ખોટા અહંકારમાં રાચી રહ્યો છે. સહેજ સંકટ આવે ત્યારે વ્યક્તિ પોલીસ, વહીવટીતંત્ર કે આપત્તિ વ્યવસ્થાપન તરફ દોડે છે, પરંતુ કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે માનવનિર્મિત તમામ વ્યવસ્થાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. સુરંગના ભયાનક અંધકારમાં જ્યાં વૈજ્ઞાનિક સાધનો કે રાહત ટુકડીઓ નવ દિવસ સુધી પહોંચી શકી નહોતી, ત્યાં સંજય સાહના શ્વાસનું રક્ષણ કરનાર કોઈ વહીવટી અધિકારી નહોતો. ત્યાં પ્રત્યક્ષ રીતે માત્ર અને માત્ર એક સર્વોચ્ચ ઈશ્વરીય સત્તા જ કાર્યરત હતી, જેણે વિજ્ઞાનની તમામ ગણતરીઓને ખોટી સાબિત કરી દીધી.
આજે પૃથ્વી પર સર્જાતી અતિવૃષ્ટિ, ભયાનક ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ કેવળ કુદરતી આફતો નથી, પરંતુ માનવીએ પોતાના હાથે વહોરેલો વિનાશ છે. વિકાસના નામે નદીઓના કુદરતી પ્રવાહને રોકવા, સુરંગો ખોદવા માટે પર્વતોને વિસ્ફોટોથી ધમરોળવા અને અરણ્યોનું નિકંદન કાઢવું એ કુદરતની વ્યવસ્થા પર સીધો કુઠારાઘાત છે. ભૌતિક સુખની આંધળી દોડ અને અવિચારી લોભના કારણે પર્યાવરણનું સંતુલન સાવ ખોરવાઈ ગયું છે, જેને લીધે પ્રકૃતિ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પ્રહારો કરી રહી છે. વિજ્ઞાને માનવીને અગવડો દૂર કરવા સાધનો આપ્યા, પરંતુ સાથે-સાથે તેને ઘમંડી પણ બનાવી દીધો છે. કુદરત સામે વિજય મેળવવાના વ્યર્થ ગર્વમાં જીવતા માણસને નેપાળની દુર્ઘટનાએ ફરી એકવાર પોતાની મર્યાદા અને લાચારીનું ભાન કરાવી દીધું છે. જ્યારે સમાજ નીતિ, ધર્મ અને પર્યાવરણનું સન્માન છોડીને માત્ર ભૌતિકતા તરફ દોડે છે, ત્યારે કુદરત આ રીતે પોતાનો આકરો ફેંસલો સંભળાવે છે.
જ્યોતિષશાસ્ત્ર અને સંતોની વાણી મુજબ આગામી સમય માનવજાત માટે અત્યંત કઠિન અને પરીક્ષાજનક બની રહેવાનો છે. વિશ્વયુદ્ધના ભણકારા, અણુશસ્ત્રોનો સંભવિત વિનાશ, નવી પ્રાણઘાતક બીમારીઓ અને સુનામી કે ભૂકંપ જેવા કુદરતી તાંડવ સામાન્ય માનવીના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે. આવી ભીષણ વિપત્તિઓમાં કોઈ લશ્કરી તાકાત, આધુનિક શસ્ત્રો કે સરકારી તંત્ર મનુષ્યનું સંપૂર્ણ રક્ષણ કરવા સમર્થ નથી. આવા સંકટકાળમાં કેવળ ઈશ્વરનો અનન્ય આશ્રય, નિઃસ્વાર્થ ભક્તિ અને નિત્ય સાધના જ જીવમાત્ર માટે સાચું રક્ષણાત્મક કવચ સાબિત થઈ શકે છે. તાજેતરમાં પ્રસ્તુત થયેલી હનુમાન અંશ જેવી કલાકૃતિઓ પણ એ જ માર્ગ ચીંધે છે કે માનવીય જીવનના કષ્ટો અને અંધકારને દૂર કરવા સંતકૃપા અને સમર્પણ અત્યંત અનિવાર્ય છે. ભક્ત જ્યારે હનુમાનજી જેવો અડગ દાસ્યભાવ ધારણ કરીને ઈશ્વર અને સંતોના ચરણે સમર્પિત થાય છે, ત્યારે અસંભવ જણાતી બાબતો પણ સહજ બની જાય છે.
સંજય સાહના આ ચમત્કારિક બચાવમાંથી સમગ્ર સમાજે ભૌતિકતાનો મિથ્યા અહંકાર ત્યજીને ગંભીર બોધપાઠ લેવાની જરૂર છે. આગામી સમયના પડકારો સામે પોતાના કુટુંબ અને સમાજની આત્મિક સુરક્ષા માટે દૈનિક જીવનમાં નામસ્મરણ, કુળદેવતાની ઉપાસના અને સદાચારને પ્રાથમિકતા આપવી પડશે. બાહ્ય સાધનોની સીમાઓ સ્વીકારીને ધર્મના માર્ગે ચાલનારા માનવીનું રક્ષણ સ્વયં વિધાતા કરે છે એ શાશ્વત નિયમ છે. આવનારા કપરા સમયમાં વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક સાધનાનો સુમેળ સાધીને ઈશ્વરીય શરણાગતિ સ્વીકારવી એ જ મુક્તિ અને જીવનરક્ષાનો એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે.
આલેખન : નિખિલ દરજી, ઉમરગામ (જિલ્લો : વલસાડ)
મોબાઈલ નંબર : 9898664944

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
A2Z सभी खबर सभी जिले की08 Sep

नागपुर- जीपीओ का काउंटर अब रात में भी खुला रहेगा

प्राप्त हुई ताजा जानकारी के अनुसार नागपुर, सिविल लाइंस पर स्थित प्रधान डाकघर जीपीओ में अब दिन या…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
A2Z सभी खबर सभी जिले की08 Sep

दारूल उलूम अमजदिया के कई ओर से अपील – त्योहार, निकाह, संदल,अन्य धार्मिक कार्यक्रमों डीजे न बजाएं

प्राप्त हुई जानकारी के अनुसार, मुहतमिम अल जामियातुर रजविया दारूल उलूम अजमदिया, नागपुर की ओर से यह अपील…

पूरी खबर पढ़ें →
नगर निकाय चुनाव-2026 जिला निर्वाचन अधिकारी ने किया ईवीएम कमीशनिंग कार्य का निरीक्षण, दिए आवश्यक निर्देश
A2Z सभी खबर सभी जिले की08 Sep

नगर निकाय चुनाव-2026 जिला निर्वाचन अधिकारी ने किया ईवीएम कमीशनिंग कार्य का निरीक्षण, दिए आवश्यक निर्देश

डीडवाना-कुचामन, राज्य निर्वाचन आयोग के निर्देशानुसार स्थानीय निकाय चुनाव-2026 के तहत सोमवार को राजकीय बांगड़ महाविद्यालय में मकराना,…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!