A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर

મહિસાગર પોલિસ દ્રારા આજ રોજ જાહેર જનતા જોગ સંદેશ બહાર પાડવામાં આવ્યો

મહિસાગર પોલીસ

Mahisagar POLICE

જાહેર જનતા જોગ સંદેશ

(આવતીકાલ ૧૭ જુલાઇ, ૨૦૨૪ ના રોજ મહોરમ(તાજીયા) નો તહેવાર હોય)

• આ અનુસંધાને કોઇ પણ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ પણ જાતની અફવાઓ, ખોટા મેસેજ, ઓડીયો, વીડિયો કોઇ પણ પ્રકારના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ.

• સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે વ્હોટ્સેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર જેવા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દરેક ધર્મના લોકો વચ્ચે પ્રેમભાવ અને શાંતિ જળવાય રહે તે આપણા સૌની નૈતિક ફરજ છે.

કોઇ વ્યક્તિ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે તો તેઓની વિરુધ્ધ ક્ડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી.

• કોઇ પણ અનિચ્છનીય બનાવની જાણ મહિસાગર જિલ્લા પોલીસ કંટ્રોલ નંબર ૦૨૬૭૪ ૨૫૦૧૨૮ પર કરવા વિનંતિ.

Back to top button
error: Content is protected !!