છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના હસ્તે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુર દ્વારા વિકસાવેલ “ઓરસંગ આદિ વિકાસ ધારા પોર્ટલ”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. “ઓરસંગ આદિ વિકાસધારા પોર્ટલ” આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP) હેઠળ ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થતા વિવિધ વિકાસના કામોમાં પારદર્શકતા લાવવા અને ચોક્કસ મોનીટરીંગના હેતુથી વિકસાવ્યું છે. આ વેબ પોર્ટલ “સશક્ત આદિજાતિ, સમૃદ્ધ છોટાઉદેપુર” ના થીમ પાર આધારિત છે. પોર્ટલમાં પ્રાયોજના વહીવટદાર કચેરી, અમલીકરણ કચેરીઓ, માન. સંસદસભ્ય, માન. ધારાસભ્યઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને સામાન્ય જનતા માટે અલગ અલગ ડેશબોર્ડ્સ ઉપલબ્ધ થશે. તેમાં આદિવાસી વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના, બોર્ડર વિલેજ યોજના, ન્યુક્લિયસ બજેટ યોજના જેવી યોજનાઓ હેઠળની કામગીરીની રીઅલ ટાઇમ પ્રગતિ દર્શાવવામાં આવશે. “ઓરસંગ આદિ વિકાસધારા પોર્ટલ” દરેક વર્ષે થતા વિવિધ યોજનાઓના આયોજનમાં પારદર્શકતા અને અસરકારકતા લાવશે. મંજુર થયેલ કામોના પહેલાં અને પછીના GPSફોટા અપલોડ કરવામાં આવશે, જેથી કામની ડુપ્લિકેશન ઘટશે. કામ પૂર્ણતા પ્રમાણ પત્ર (CC) અને ગ્રાન્ટ વપરાશ પ્રમાણ પત્ર (UTC) પણ આ વેબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વધુમાં, અમલીકરણ કચેરીઓ અને પ્રાયોજના વહીવટદાર કચેરી માટે રિવ્યુ મીટિંગ મોડ્યુલ પણ ઉપલબ્ધ થશે, જેમાં અગાઉની રિવ્યુ મીટિંગમાં નક્કી કરેલા લક્ષ્યોની લક્ષ્યાંકોની સમીક્ષા કરવામાં આવશે. ટૂંક સમયમાં, આ પોર્ટલમાં જનપ્રતિનિધિઓ અને સામાન્ય જનતા આગામી વર્ષની આયોજન માટે કામોની ભલામણ કરી શકશે. આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જયંતીભાઈ રાઠવા અને રાજેન્દ્રસિંહ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા સહિતના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
श्री बंशीधर नगर में विश्व हिंदू परिषद व बजरंग दल का रामनवमी उत्सव ऐतिहासिक
29/03/2026
भिलौनी में अवैध पंजा भट्ठा संचालन, नदी किनारे से मिट्टी उत्खनन का आरोप
29/03/2026
जिंदल माइंस की नियमविरुद्ध ब्लास्टिंग से दहशत में ग्रामीण, रोक लगाने की मांग तेज…
29/03/2026
🩸 महावीर जयंती: सेवा का संकल्प, रक्तदान का महाकुंभ🩸
29/03/2026
डाकोरजी में सफाई कर्मचारियों ने की हड़ताल
29/03/2026
ताला में हिन्दू-मुस्लिम के प्रतिक हजरत शेख बाबा बुरहानुद्दीन चिश्ती का 5 दिवसीय वार्षिक मेला 9 अप्रैल से होगा शुरू
29/03/2026
भारतीय हिन्दू परिषद अंतरराष्ट्रीय संगठन के द्वारा कैंडल मार्च निकाल कर किया गया विरोध प्रदर्शन
29/03/2026
पंडित दीनदयाल उपाध्याय प्रशिक्षण महाअभियान 2026 के अंतर्गत मण्डल स्तरीय प्रशिक्षण कार्यशाला का चनेजा होटल एण्ड रेस्टोरेंट में हुआ आयोजन, विधायक महेन्द्रपाल मीणा ने कार्यकर्ताओं को बताया पार्टी की रीढ़, प्रत्येक कार्यकर्ता है महत्वपूर्ण
29/03/2026
ईद मिलन बना सियासी शक्ति प्रदर्शन, चंद्रशेखर आज़ाद के अचानक दौरे से लक्सर की राजनीति गरमाई
29/03/2026
हरिद्वार। देवपुरा चौक स्थित महाराजा अग्रसेन जी की प्रतिमा के चारों ओर निर्मित सुरक्षा बाउंड्री को अज्ञात असामाजिक तत्वों द्वारा रात्रि में क्षतिग्रस्त किए जाने का मामला सामने आया है, जिससे वैश्य समाज सहित क्षेत्र के नागरिकों में रोष व्याप्त है।
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!