ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે કવાંટ તાલુકાના ગુગલીયા ગામના દીલેશભાઈ રાઠવા. દીલેશભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, મારો છોકરો ધોરણ ૧૦માં પાસ થતા તેને મોબાઇલ અપાવ્યો હતો. એના મોબાઇલમાં યુ-ટ્યુબના માધ્યમથી ખેતીલક્ષી વિડીઓ જોતો હતો. તેમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી.એક પછી એક વિડિયો જોતા મને વિડિયો જોવામાં રસ પડવા લાગ્યો.૨૦૧૯માં વિડિયો જોતા જોતા પ્રાકૃતિક કૃષિ કરવાનું નકકી કર્યું હતું. ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી.જેમ જેમ નોલેજ વધતું ગયુ તેમ પ્રાકૃતિક કૃષિના આયામો બનાવવાનું શરૂ કર્યું. ગાય આધારિત ખેતીની શરૂઆત કર્યા બાદ આત્મા પ્રોજેક્ટનો સંપર્ક થયો.આત્મા પ્રોજેકટમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી મારા નોલેજમાં વધારો થયો.. આત્મા પ્રોજેકટરમાં જોડાય બાદ પ્રાકૃતિક ખેતીમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મ માટે ૧૩૫૦૦ અને ગાયના નીભાવ ખર્ચ માટે વર્ષે ૧૦૮૦૦ રૂપિયાની સહાય મળે છે. આત્મા પ્રોજેકટના માર્ગદર્શન હેઠળ મારા ખેતરમાં સોયાબીન, ડાંગર, તુવેર મકાઈ અને કઠોળ પાક પકવું છું. હાલમાં મારા ખેતરમાં ૧ એકરમાં મકાઈ અને એક એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિના આયામોની વાત કરતા દીલેશભાઈ જણાવે છે કે, શરૂઆતમાં જમીનમાં ઘનજીવામૃત આપવાનું છે ત્યારે બાદ પાકમાં જીવાત હોય તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને વધુ જીવાટ માટે અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરૂ છુ. જમીનને ફળદ્રુપ બનાવવા પિયત સ્વરૂપમાં જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવુ છું. જે તે સમયે રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી ખેડ પણ થતી ન હતી. અત્યારે મારી જમીનમાં હળ હાકવું હોય તો પણ હાકી શકાય છે એટલો સુધારો પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં આવ્યો છે. પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરતા દિલેશભાઈ જણાવ્યુ કે, ગત વર્ષે મને ૧ લાખ ઉપર આવક થઈ હતી. જેમાં ખર્ચ નહીવત થયો હતો. જયારે રસાયણિકમાં ૧ લાખની આવકની સામે ૩૫ થી ૪૦ હજારનો ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં ૫થી ૬ હજાર ખર્ચમાં પુરુ થઈ જાય છે. ગત વર્ષે પાકમાં કપાસ,સોયાબીન અને શિયાળુ મકાઈ કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સંદેશ આપતા દીલેશભાઈએ જણાવ્યું કે, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ. આપણી જમીન બચશે તો આપણું જીવન અને ભવિષ્ય બચશે. આજે દિન પ્રતિદિન અનેક ગંભીર બીમારીઓ થાય છે ત્યારે તેનાથી બચવા આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઇએ. પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કર્યું હતું..
गोड्डा के महागामा में भवन बन कर तैयार, आमजनों को होगी सुविधा
21/02/2025
કવાંટનાં મુખ્ય બજારમાં ૨૮ જગ્યા પર દોરાતા ભીતચિત્રોનું નિરિક્ષણ કરતા જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન
21/02/2025
होमगार्ड जवान की पत्नी दर दर भटकने को मजबूर
20/02/2025
છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ ની ખાણોમાં FS નો સપાટો,2 કરોડ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત
20/02/2025
સિહોદ ભારજ નદી નું રૂ.4 કરોડના ખર્ચે નવું ડાયવર્ઝન કાર્યરત: છ મહિના બાદ વાહનવ્યવહાર શરૂ,
20/02/2025
दिल्ली CM के नाम का ऐलान, रेखा गुप्ता मुख्यमंत्री, प्रवेश वर्मा डिप्टी CM होंगे
20/02/2025
*नागपूर जिल्हा के सावनेर मे छत्रपती शिवाजी महाराज जयंती जल्लोष के साथ मनाई* *इस अवसर पर पूर्व कॅबिनेट मंत्री महाराष्ट्र सुनील केदार और विधायक आशिष देशमुख थे उपस्थित* *इस अवसर पर विविध रंगारंग प्रोग्राम का किया आयोजन*
20/02/2025
जीआरपी पुलिस ने यात्रियों की टिकट चेक कर रही महिला को किया गिरफ्तार
20/02/2025
आदिवासी समाज ने पूर्व राज्यपाल को मुख्य अतिथि हेतु आमंत्रण दिए
20/02/2025
नोनीहाट में व्यापारी वर्गों के साथ देवघर से आये किन्नरो के द्वारा अभद्र व्यवहार के विरोध में दुमका एवं गोड्डा जिला के किन्नौर ने जिला प्रशासन से गुहार लगाइ
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!