A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

રાજ્યના વનબંધુઓના પાણીદાર વિકાસ માટે ગુજરાત સરકારની કટિબદ્ધતા…

બ્રેકિંગ ન્યુઝ:-/હીરાપુર

 

રાજ્યના વનબંધુઓના પાણીદાર વિકાસ માટે ગુજરાત સરકારની કટિબદ્ધતા…

 

સિંચાઇનું પાણી આપવાની નિર્ણાયકતા સાથે આદિજાતિ વિકાસ પેટા યોજના 2022-23 ની ગ્રાન્ટ માંથી હીરાપુર ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે લિફટ ઇરિગેશન સ્કીમ માટે રૂ. 45 38 લાખ ની ફાળવણી કરી ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ ગ્રાન્ટમાં 45 હેકટર જમીન ને આવરી લેવામાં આવી છે જેને સિંચાઈ નો લાભ મળશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો સાથે મંત્રીશ્રી એ સકારાત્મક સંવાદ કર્યો અને અને માંનનીય મંત્રીશ્રી નું ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવા બદલ ગ્રામજનો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરેશભાઇ વળવાઈ,તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા,મહામંત્રી શ્રી છગનભાઇ માલ,જિલ્લા પંચાયત ના સભ્ય શ્રીમતી નિકિતાબેન શાહ,સરપંચશ્રીઓ,પાર્ટીના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ દાહોદ

Back to top button
error: Content is protected !!