છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતી વચ્ચે મધ્ય ગુજરાત વિજ કંપનીની સરાહનીય કામગીરી રહેવા પામી છે. સોમવારે સાંજે શરૂ થયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદમાં છોટાઉદેપુર જિલ્લાના ૭૪૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.જેને એમ.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાકટરની ૧૩ ગેંગ અને લાઇન સ્ટાફના ૧૧૮ કર્મચારીઓએ ખૂબ જ ટૂકા સમયમાં ૭૪૯ ગામોમાં વીજ પુરવઠો પુન: કાર્યરત કરવામા સફળતા મેળવી હતી. જિલ્લાના વિવિધ સ્થળે ૧૧૮ જેટલા વીજ પોલ અને ૪ ટ્રાન્સફોર્મર વાવાઝોડાથી અસરગ્રસ્ત વીજ પોલ પુન: કાર્યરત કરી દેવામાં આવ્યા હતા. એમ બોડેલી ડિવિઝનના એકઝીક્યુટીવ એન્જિનીયર શ્રી વિક્રમભાઈ પારેખે પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.