उदैपुरगुजरात
Trending

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૨ મે થી ૫ જૂન સુધી વિવિધ કાર્યક્રમોનુ કરાયુ આયોજન

પર્યાવરણ માટે વૃક્ષો ખુબ મહત્વનો ભાગ - છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ચાર રેંજમાં કૂલ ૧૩.૭૩ લાખ રોપાઓનું વિતરણ

પર્યાવરણ એ દરેક જીવ સૃષ્ટિનો આધારસ્તંભ છે. તેથી તેની કાળજી રાખવી એ દરેક જીવ માટે ખુબ જ મહત્વનું છે. પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગની વર્તમાન ગતિથી, ભાવિ પેઢી આ સંસાધનોથી વંચિત રહેવાની સંભાવના છે. તેથી જ વિશ્વભરના લાખો લોકો ભાવિ પેઢીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે પર્યાવરણનુ જતન કરવા તરફ વળી રહ્યાં છે. તેમજ લોકોને પર્યાવરણના સંવર્ધન માટે જાગૃત કરવા દર વર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવે છે. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’નો ઇતિહાસ: વર્ષ ૧૯૭૨માં Stockholm માં થયેલી United Nations Conference on the Human Environment માં આ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યાર બાદ 1974 થી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી શરૂ થઈ હતી. જેની સૌ પ્રથમ થીમ હતી: “Only One Earth”. આમ, ૧૯૭૪ થી દરવર્ષે દેશભરમાં ૫ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અલગ અલગ થીમ આધરિત ઉજવણી કરવામાં આવે છે. જયારે સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ની ઉજવણી ‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો’ (“Putting an End to Plastic Pollution”) થીમ પર કરવામાં આવશે. ૨૦૨૫ની થીમ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા ચલાવવામાં આવતા #BeatPlasticPollution અભિયાન સાથે સંકળાયેલી છે. આ અભિયાનનો ઉદ્દેશ છે કે, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવું. પ્લાસ્ટિકનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવું. ટકાઉ વિકલ્પો અપનાવવા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં ફેરફાર લાવવાનો છે. પર્યાવરણ બચાવવું એ આપણા દરેકની ફરજ છે. જેમાં આપણે પોતાના નાનામાં નાનું યોગદાન આપી પર્યાવરણમાં સુધારો લાવી શકીએ છીએ. જેમાં વૃક્ષો વાવવા તેમનું રક્ષણ કરવું. પાણી અને વીજળીનો સમજીને ઉપયોગ કરો. પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. ઘરના કચરાનું વિભાજન કરો – સુકા અને ભીના કચરા અલગ રાખવો, વધુમાં વધુ સાઇકલ ચલાવો કે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરી યોગદાન આપી શકીએ છીએ. છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૨ મે થી ૫ જૂન સુધી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરીને જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર જગ્યાઓ પર પર્યાવરણ જાગૃતિ અભિયાનના બેનર અને હોર્ડિંગ લગાવવાની કામગીરી, સાયકલ રેલી, બયક રેલી, સ્કુલ પ્રોગ્રામ, વૃક્ષા રોપણ, ઇકો ટુરીઝમ સેન્ટર પર પ્લાસ્ટિક સફાઈ, રેંજ ઓફીસ, વિભાગીય કચેરી, નર્સરી, પ્લાન્ટેશન વિસ્તાર, ધાર્મિક સ્થળો અને જળ સ્ત્રોત વિસ્તારોમાં પ્લાસ્ટિક સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. પર્યાવરણ માટે વૃક્ષો ખુબ મહત્વનો ભાગ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ૧૩૫ હેક્ટર વિસ્તારમાં ૧૪.૧૧ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. સાથે છોટાઉદેપુર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સંખેડા રેંજમાં વર્ષ ૨૦૨૪માં ૩.૮૮ લાખ રોપાઓનું વિતરણ કરાયું અને વર્ષ ૨૦૨૫માં અંદાજે ૫.૧૨ લાખ રોપા વિતરણ કરાવનું આયોજન કરવામાં આવ્યું છે. પાવીજેતપુર રેંજમાં વર્ષ ૨૦૨૪માં ૩.૮૭ લાખ રોપાનું વિતરણ કરાયું અને વર્ષ ૨૦૨૫માં અંદાજે ૫.૧૧ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. નસવાડી રેંજમાં વર્ષ ૨૦૨૪માં ૩.૮૭ લાખ રોપાનું વિતરણ કરાયું અને વર્ષ ૨૦૨૫માં અંદાજે ૫.૧૧ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. છોટાઉદેપુર રેંજમાં વર્ષ ૨૦૨૪માં ૨.૧૧ લાખ રોપાનું વિતરણ કરાયું અને વર્ષ ૨૦૨૫માં અંદાજે ૫.૧૧ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં ચાર રેંજમાં વર્ષ ૨૦૨૪માં કૂલ ૧૩.૭૩ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!