
આમ, ઉપરોકત બનાવમાં જાખોત્રા ગામેથી ગીતાબેન વા/ઓ સુરેશભાઇ આહીર ઉવ.આ.૨૨ ના રાત્રીના સમયે પોતાના ખાટલામાંથી પોતાના દિકરાને મુકી ક્યાંક ચાલ્યા ગયા હોઇ અને જેમનો ચણીયો તથા ઝાંઝરી સુતારોકી તલાવડીવાળી જગ્યામાં અર્ધ બળેલ હરજીભાઈ સોલંકીની લાશ ઉપરથી મળી આવેલ જેથી બનાવની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ નાઓએ કેસમાં અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના કરતાં ઈ.ચા.ના.પો.અધિ.શ્રી પરેશ રેણુંકા સાહેબ રાધનપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણે ટીમ બનાવી અલગ અલગ દિશામાં કાર્યરત કરેલ જેમાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરતા સદરહું બનાવમાં ગીતાબેન સુરેશભાઇ આહીર અને તેમના જ ગામના ભરતભાઇ લુભાભાઇ આહીરને એકબીજા સાથે પ્રેમ સબંધ હોવાથી જેઓ સંકળાયેલ હોવાનું અને જેઓ બનાવને અંજામ આપી પાલનપુરથી ટ્રેન મારફતે રાજસ્થાન રાજયમાં ભાગી જવાની ફિરાકમાં હોવાનું જણાઇ આવતાં સમય સુચકતા વાપરી જેઓ બન્નેને પાલનપુર રેલ્વે સ્ટેશનથી પકડી જેમની ખુબજ ખંતપુર્વક યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં જેઓ માનસિક રીતે ભાગી પડી પોતાના ગુનાની કબુલાત કરી જણાવેલ કે,
“અમો બન્ને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પ્રેમ સબંધમાં છીએ અને આગળનું જીવન સાથેજ જીવવા માંગતા હોવાથી ઘરેથી ભાગી જવાનું નક્કી કરેલ અને અગાઉ “દ્રષ્યમ” ફિલ્મના બન્ને ભાગ ગીતાએ જોયેલ હોવાથી જેણે એક પ્લાન બનાવેલ કે, કોઇ સ્ત્રી અથવા પુરૂષની લાશ લાવી તેને સ્ત્રીના (ગીતાબેન) કપડા તથા ઝવેરાત પહેરાવીશું અને જે પછી તેને સળગાવીશું જેથી કરી મારા ઘરના માણસો હું મરી ગયેલ છું તેવું માની લેશે તેવો પ્લાન બનાવી ભરતને કહેતાં ભરત પ્લાન મુજબ કામ કરવા તૈયાર થયેલ અને જેમના આયોજન મુજબ તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ ભરત આહીર સાંતલપુર તાલુકાના બરારા, દાંતરણા, સાંતલપુર, મઢુત્રા ગામે ગયેલ
પરંતુ તેવો કોઇ માણસ મળી ન આવતાં છેલ્લે જે વૌવા ગામે જતાં જે જગ્યાએ એક વયોવુધ્ધ ઇસમ મળી આવતાં જેને પોતાના મો.સા. ઉપર બેસાડી એક ખેતરમાં લઇ ગયેલ જેથી ભરતે તેનું ગળુ દબાવતાં જે બેભાન જેવો થઈ જતાં જેને મો.સા. ઉપર રાખી પોતાની કમર સાથે રસ્સીથી બાંધી રસ્તામાં મળતા લોકોને દવાખાને તેને લઇ જવું છુ તેમ જણાવી જાખોત્રા ગામની સીમમાં સુતારોકી તલાવડીવાળી જગ્યામાં લાવી રાખેલ અને જે પછી રાત્રીના સમયે બધા સુઇ જતાં ગીતા અને ભરત બન્ને જે જગ્યાએ તે માણસને રાખેલ હોઇ તે જગ્યાએ ભેગા થયેલા અને તેને ઉપાડી ગીતાના ઘરની નજીક વાડામાં લાવેલ અને જે જગ્યાએ ગીતા અને ભરત ભેગા મળી જેને ચણીયો તથા ચાંદીની ઝાંઝરી પહેરાવી પોતાના આયોજન મુજબ ગીતા પેટ્રોલ લાવેલ હોઇ જેથી લાશ ઉપર નાંખી તેને દિવાસળીથી સગળાવી જેને સળગતી મુકી જેઓ જયાંથી નીકળી સાંતલપુર આવેલા અને જે પછી રાધનપુર, પાલનપુર અને ત્યાંથી કાંણોદર ગયેલા અને જે પછી ટ્રેન મારફતે જોધપુર જવા માટે પાલનપુર રેલ્વે સ્ટેશનથી ટીકીટ મેળવેલાનું જણાવેલ છે.”
આમ, ઉપરોકત મુજબની વિગતે બન્ને ઇસમોએ પોતાના ગુનાની કબુલાત કરતાં જેમની ધરપકડની કાર્યવાહી કરી સાંતલપુર પો.સ્ટે. સુપ્રત કરવા તજવીજ હાથ ધરેલ છે. મરણ જનાર હરજીભાઇ દેભાભાઇ સોલંકી ઉવ.આ.પ૬ મુળ પીપરાળા તા.સાંતલપુર ગામના વતની છે અને જેઓ છેલ્લા દસેક વર્ષથી વૌવા તા.સાંતલપુર ગામે રહેતા હતા. મરણ જનાર હરજીભાઇ એકલવાયું જીવન જીવતા અને ગામમાં જયાં મજુરી મળે ત્યાં મજુરી કામ કરી ગામમાં ગમે તે જગ્યાએ રોકાઇ પોતાનું જીવન ગુજારતા હોવાનું જણાયેલ છે.
મરણ જનારનું નામ સરનામું:-
(૧) હરજીભાઇ દેભાભાઇ સોલંકી રહે.મુળ પીપરાળા તા.સાંતલપુર હાલ રહે.વૌવા તા.સાંતલપુર
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ભરતભાઇ લુભાભાઈ જહાભાઇ આહીર રહે.જાખોત્રા તા.સાંતલપુર જી.પાટણ
(૨) ગીતાબેન ડો/ઓ પાતાભાઇ માંડલભાઇ તે વા/ઓ સુરેશભાઈ ખેંગારભાઇ આહીર રહે.જાખોત્રા તા.સાંતલપુર જી.પાટણ
કબજે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬,૫૦૦/-
(૨) ટ્રેનની ટીકીટ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦