उदैपुरगुजरात
Trending

સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પ યોજાયો

સમર યોગ કેમ્પમાં બાળકોને યોગ, ગીતાના શ્લોક, ટ્રેડીશનલ રમતો રમાડવામાં આવી હતી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત ઝુંબેશ હેઠળ ૭ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે તા.૧૬ થી ૩૦ મે સુધી નિ:શુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો ઉદ્દેશ બાળકોમાં સ્વાસ્થ્ય સારું રહે અને મેદસ્વિતા મુક્ત રહે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ડી.બી પારેખ હાઇસ્કુલ સંખેડા, શ્રીમતિ વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ જેતપુરપાવી અને તારકેશ્વર મહાદેવ મંદિર તણખલા ખાતે જિલ્લાના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને યોગ, ગીતાના શ્લોક, ટ્રેડીશનલ રમતો રમાડવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના બાળકોએ ભાગ લઈ મેદસ્વિતા મુક્ત અભિયાનમાં જોડાયા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!