उदैपुरगुजरात
Trending

પાવીજેતપુર ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ ની હડતાલનો અંત કર્મચારીઓ માં ખુશી જોવા મળી.

તંત્ર દ્વારા નિકાલ ન કરવામાં આવતા બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત મેદાને ઉતર્યા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા એ ફુલહાર કરી આ સફાઈ કામદારો ની હડતાળ નો અંત લાવીયા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના લોકો બાપ દાદા ના વખત થી સફાઈ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. મોંઘવારીના માર વચ્ચે લાબા સમય થી પગાર વધારાની માંગ પંચાયતમાં ડે.સરપંચ અને જવાબદાર – કર્મચારી ઓને કરાઈ રહી હતી પરંતુ પગાર વધારો ના કરાતા કર્મચારીઓ હડતાળ ઉતરી ગયા અને એક મહિનો વિતી ગયા બાદ પણ તંત્ર દ્વારા નિકાલ ન કરવામાં આવતા બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત મેદાને ઉતર્યા હતા ત્યાર બાદ કર્મચારી ઓ એસોસિએશનના પ્રમુખ અને મામલતદાર કચેરી ખાતે નગરમાં રેલી યોજી આવેદવ પત્ર પાઠવ્યું હતું એને ધ્યાને લઈને પાવીજેતપુર પંચાયત ના ડેપ્યુટી સરપંચ અને સભ્યો ને સાથે રાખી તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સફાઈ કામદારોને યોગ્ય પગાર વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો અને સફાઈ કર્મચારીઓ ની પગાર વધારા ની માંગ સંતોષવામાં આવી અને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તેના લય તમામ સફાઈ કર્મચારી, પાવીજેતપુર શહેર ના ડેપ્યુટી સરપંચ શ્રી દ્વારા ડો બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા એ ફુલહાર કરી આ સફાઈ કામદારો ની હડતાળ નો અંત આવ્યો સન્માનિત સફાઈ કામદાર શ્રી કિશનભાઈ પટેલ દ્વારા ડેપ્યુટી સરપંચ શ્રી ને ફુલહાર અર્પણ કરી મીઠાઈ ખવડાવી સન્માન કરવામાં.અને સાથે બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત નું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું

વિરેન્દ્રસિંહ દેસાઈ પાવીજેતપુર

Back to top button
error: Content is protected !!