A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

જાહેરનામું: 24મી સુધી વગર પરવાનગીએ રેલી, ધરણા, સરઘસ, દેખાવો પર પ્રતિબંધ

નિવાસી અધિક કલેક્ટર દ્વારા ત્રણ જાહેરનામા

કચ્છમાં તા.24-6 સુધી કચ્છની સરકારી કચેરીઓમાં આવેદન માટે 4થી વધુ લોકોને એકત્ર ન થવા, વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો પર પાબંદી સહિત એક સાથે 3 જાહેરનામા બહાર પડાયા છે.

જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે 100 મીટરની ત્રિજયામાં રેલી, સરઘસ કે રેલી પર મનાઇ, ચાર કરતાં વધુ વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદન પત્ર આપવા પર પાબંદી તેમજ કલેકટર કચેરી, ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં અનઅધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિત, ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી. ચૌહાણ દ્વારા લગાવાયો છે.

Back to top button
error: Content is protected !!