છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલા શિહોદ માં ફરી એકવાર ૪.૩૦ કરોડ રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવેલું ડ્રાઇવરજન વરસાદી પાણીમાં ધોવાતા છોટાઉદેપુર જિલ્લાની પ્રજા ફરી એકવાર સંકટ માં મૂકાઈ છે.ઉલ્લેખની છે કે ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલા ડ્રાઈવરજન વરસાદની શરૂઆતમાં જ ક્ષતીગ્રસ્ત થયું એ પણ સામાન્ય તેમજ તિરાડો પડતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન એ જાત નિરીક્ષણ કર્યું હતું. અને નેશનલ ઓર્થોરિટી દ્વારા ડ્રાઈવરજન ની ચકાસણી કરાયા બાદ નિર્ણય લેવામાં આવશે અને હાલ પૂરતું ડ્રાઈવરજન બંધ કરવાનો આદેશ આપ્યો. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો ટ્રાફિક થી ધમધમતો NH ૫૬ નંબર હાઇવે પર ભારત નદી પર અગાઉ પણ ૨.૩૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાઈવરજન વરસાદના પાણીમાં ધોવાતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર ૪.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું ડાઈવરજન પણ પાણીમાં ધોવાતા પ્રજાને હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને ફરી ૩૦ થી ૩૫ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો તેમજ ગામડાના રોજિંદા જીવન જરૂરિયાત અને શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મુશ્કેલી સાથે જીવના જોખમે રેલવેના બ્રિજ ઉપરથી પસાર થવું પડશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ફરી ડ્રાઈવરજનને કાર્યરત ક્યારે કરવામાં આવશે કે નહીં થાય એવા અનેક સવાલો સ્થાનિક પ્રજાજનો ઉઠાવી રહ્યા છે