A2Z सभी खबर सभी जिले की

પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજાયો.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર. ………………………….જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લાના ધો.૮, ૧૦, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, બી.ઈ. જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે આજરોજ શ્રી એમ. સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો ૨૭૦ સામાન્ય ઉમેદવાર તેમજ ૧૦ દિવ્યાંગ ઉમેદવાર સ્થળ પર પસંદગી કરવામાં આવી. આ ભરતી મેળામાં છોટાઉદેપુર, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ૧૦ થી વધારે નોકરીદાતાઓ દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલની ૫૦૦ જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વધુમાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય, લોન સહાય યોજના, ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ, અગ્નીવીર યોજના માટેની ફ્રી નિવાસી તાલીમ યોજનાઓ થી માહિતગાર કાર્યા. વિદેશમા રોજગારી અને શિક્ષણની તકો તથા સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપ્યું.રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ. માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ભરતી મેળામાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષદ સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર તથા એન.સી.એસ.ડી.એ અમદાવાદ અને વડોદરા ના કર્મચારીઓ કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા
Back to top button
error: Content is protected !!